તરબૂચ ની ખેતી ની વિસ્તૃત માહિતી
હવામાન અને જમીન
તરબૂચના પાકને ગરમ અને સુકું હવામાન વધુ માફક આવે છે . તરબૂચ પાકવાના સમયે ઓછો ભેજ અને વધારે તાપમાનની જરૂરત રહે છે . સૂર્યપ્રકાશને લીધે તરબૂચમાં શર્કરાનું પ્રમાણ વધે છે . તરબુચની ખેતી બધા જ પ્રકારની જમીનમાં કરી શકાય છે . નદીના પટની રેતાળ જમીન આ પાકને વધુ માફક આવે છે .
વાવણી પ્રક્રિયા
મધ્યમ કદના તરબૂચના ઉત્પાદન માટે ખેડૂતોમાં
ઓગસ્ટા , શુગરપેક , GS૨૮૬ , શુગરક્વીન , સુમન , કિરણ વગેરે જાતે પ્રચલિત છે . ઉનાળુ સિઝન માટે જાન્યુઆરીના અંતથી માર્ચના અંત સુધીમાં વાવણી કરવી . જમીનની ફળદ્રુપતા અને પ્રતને ધ્યાને રાખી ૨૪૩ મીટરના અંતરે વાવેતર કરવું . જુદી જુદી વેરાઈટીઓ પ્રમાણે પ્રતિ હેક્ટર અઢી કિલો બિયારણની જરૂર પડે છે . હાઈબ્રીડ તરબૂચનું બિયારણ ખુબ જ મોંઘુ હોય છે . જેમાં ઘણી વખત વાવેલા બીજને જમીનમાં જ જીવાતો ખાઈ જતી હોય છે . આ માટે વાવણી પહેલા જમીનમાં ફોરેટ દવા ભેળવવી .
ખાતર વ્યવસ્થાપન
જમીનની તૈયારી વખતે હેક્ટરદીઠ 300થી ૪૦૦ ક્વિન્ટલ સારું કોલ્હાયેલું છાણીયું ખાતર નાખવું . કૃષિ નિષ્ણાત ટી . એમ પેઢડિયા ના જણાવ્યા પ્રમાણે તરબૂચમાં વધુ ઉત્પાદન માટે રસાયણિક ખાતરની સાથે જૈવિક ખાતરનો સમન્વય કરવો . જેમાં પાયામાં વીઘાદીઠ ૫૦ કિલો ASP ૫૦ કિલો SSP અને ૫૦ કિલો MOP
25 કિલો સમૃધ્ધ ગોલ્ડ આપવા . આ બાદ ૭ થેલી ટ્રાઇકોમીલ ( સેન્દ્રિય ખાતર ) , ૨ કિલો ટ્રાઇકોમાઈસીલ ( કુદરતી ફૂગનાશક ) , ૨ કિલો પેસિલોમાઈસીલ અને ૫ કિલો બાયોમાઈસીલ ( માઈકોરાઈના યુક્ત ) ના મિશ્રણને જમીનમાં આપવું .
પિયત વ્યવસ્થાપન
સાદી ધોળિયા પદ્ધતિ દ્વારા પિયત આપવાનું હોય તો દર ૮થી ૧૦ દિવસે પિયત આપવું . જયારે ટપક પદ્ધતિમાં શરૂઆતમાં પાક ઉગે ત્યાં સુધીના ૨૦ દિવસ સુધી દરરોજ અડધો કલાક પિયત આપવું . જયારે પાકના ૨૦થી ૫૦ દિવસ દરમ્યાન દરરોજ દોઢ કલાક અને પ૦ દિવસ બાદ પાક તૈયાર થાય ત્યાં સુધી દોઢથી અઢી કલાક પાણી આપવું .
લાલ અને કાળા મરીયા
આ કીટકની માંદા છોડની આસપાસ ભેજવાળી જમીનમાં ઈંડા મુકે છે . ઈંડામાંથી નીકળતા કીડા છોડના મૂળ તથા થડને નુકશાન કરે છે અને જમીનને અડેલા ફળોને પણ કોરી ખાય છે . જયારે પુખ્ત કીટકો બીજપત્ર , ફૂલ અને પાનને ખાઈને નુકશાન કરે છે . આ કીટકના નિયંત્રણ માટે ક્વિનાલફોસ ભૂકી પ્રતિ હેક્ટર ૨૫ કિલો પ્રમાણે છોડ પર તેમજ જમીન પર પડે એ રીતે છાંટવી .
ફળમાખી
ફળમાખી ગરમ વાતાવરણમાં સક્રિય થાય છે . જે ફૂલ અને ફળ બન્નેને નુકશાન કરી - પાકે છે . ફળમાખીના ઈંડામાંથી નિકળતો કીડો ફળનો ગર્ભ ખાય છે . માખી ફળની છાલ ઉપર ઈંડા મુકે ત્યારે એ જગ્યાએથી ફળમાંથી રસ ઝરવાનું શરુ થાય છે . જે જામી જતા બદામી રંગના ગુંદર જેવું દેખાય છે . જેને ‘ ટુવા ' તરીકે ઓળખવામાં આવે છે . આ કારણે ફળની ગુણવત્તા બગડે છે અને આવા ફળોના ભાવ ખેડૂતોને પૂરતા મળતા - નથી . ફળમાખીના નિયંત્રણ માટે એના નરને આકર્ષવા કયુ ભુર ધરાવતા ફળમાખી પિંજર પ્રતિ હેક્ટર ૧૦ની સંખ્યામાં મુકવા . આવા પિંજર પાકથી એક મીટર ઉંચાઈએ લટકાવવા . જયારે પુખ્ત ફળમાખીના નિયંત્રણ માટે ૧૦ લીટર પાણીમાં ૪૫૦ ગ્રામ - ગોળ ઓગળી દ્રાવણ તૈયાર કરી એને ૨૪ કલાક મૂકી રાખવું . આ બાદ આ દ્રાવણમાં - ડાયકલોરોવોસ ૫ મિલી દવા મિક્સ કરી ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે દર અઠવાડિયે એકવાર છંટકાવ કરવો . મોટા ફોરે - વેલા પર દવા પડે એ રીતે છંટકાવ કરવો . આ ઉપરાંત ઈમામેકટીન બેન્ઝોએટ દવાથી ફળ માખીનું ઝડપથી નિયંત્રણ થતું હોવાનો - સાબરકાંઠાના ખેડૂતોનો અનુભવ છે .
પાનકોરીયું
તરબૂચમાં પાનકોરીયાનો ઉપદ્રવ જણાય તો ટ્રાઇઝોફોસ ૧૫ મિલી દવાને ૧૫ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો .
યુસીયા જીવાત
તરબૂચના પાકમાં ચુસીયા જીવાતોનો ઉપદ્રવ જણાય તો થાયમિથોક્ઝામ દવા અથવા ડાયફેંટ્યુરોન દવાનો છંટકાવ કરવો .
સુકારો
તરબૂચના પાકમાં સુકારાના રોગનું નિયંત્રણ કરવા માટે કોપર ઓક્સિકલોરાઈડ અથવા કાર્બનડાન્ઝીમ + મેંકોઝેબ ૨૫ ગ્રામ દવાને ૧૫ લીટર પાણીમાં ભેળવી નિતારણ વડે આપવું .
નિંદણ અને આંતરખેડ
તરબૂચના પાકના મૂળ ઊંડા જતા નથી . આથી નિંદણનો નાશ કરવા છીછરી આંતરખેડ કરવી , વેલા મોટા થયા બાદ ખૂરપીથી નિંદણ કરવું . મજુરોથી નિંદણ શક્ય ન હોય તો વાવણી પછી તરત પાક ઉગ્યા પહેલા પેન્ડીમિથેલીન ૧ લીટર દવાને ૨૦૦ લીટર પાણીમાં ભેળવી પ્રતિ એક એકર પ્રમાણે છંટકાવ કરવો .
કાપણી અને વેચાણ
તરબૂચની વાવણી બાદ બેથી અઢી માસે પ્રથમ વખત કાપણી થઇ શકે છે . ફળની નીચે રહેલા લીલા રંગના ધાબા જયારે પીળા થવા લાગે ત્યાર બાદ કાપણી શરુ કરવી . કાપણી ત્રણ - ચાર દિવસના અંતરે સવારે અથવા સાંજે કરવી અને ફળને છાયામાં રાખવા . તરબૂચની ક્વોલીટી સારી હોય તો દિલ્હી વેચાણ માટે મોકલી શકાય છે . આ માટે એક બોક્સમાં ત્રણ તરબૂચ મુકવા . બોક્સનું કુલ વજન ૮થી ૯ કિલો થવું જોઈએ .
Comments
Post a Comment